બેંગ્લુરુ: ઉડીપી (Udupi) પેજાવર મઠ (Pejavara Mutt) ના પ્રમુખ શ્રી વિશ્વેશ તીર્થ સ્વામી (Vishwesha Teertha Swami) નું નિધન થયું છે. પેજાવર સ્વામીના નામથી પ્રસિદ્ધ શ્રી વિશ્વેશ તીર્થ સ્વામીની ઉંમર 88 વર્ષ હતી. છેલ્લા કેટલાક દિવસોથી તેમનું સ્વાસ્થ્ય ખરાબ હતું. અને તેમની એમ સી મણિપાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમની હાલતમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નહતો અને સ્થિતિ ગંભીર હતી. સ્વામીની ઈચ્છા મુજબ તેમને રવિવારે સવારે તેમના મઠ લઈ જવાયા અને ત્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાતાની જય બોલનારા જ ભારતમાં રહી શકશે: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન


પેજાવર મઠ (Pejavara Mutt)  હિન્દુ ફિલોસોફીના દ્વૈતવાદના સિદ્ધાંત પર આધારિત છે. શ્રી વિશ્વેશ તીર્થ આ મઠના 32માં પ્રમુખ હતાં. પેજાવર મઠ અંતર્ગત 8 અન્ય મઠ આવે છે. જેમના પ્રમુખ પેજાવર મઠના પ્રમુખ હોય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....